વાંકાનેરના શેખરડી ગામે વાડીમાં વીજ શોક લાગતા વૃદ્ધનું મોત
વાંકાનેર: વાંકાનેર તાલુકાના શેખરડી ગામે વાડીમાં પાણી વાળતા હોય ત્યારે વીજ શોક લાગતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ શામજીભાઇ ગગજીભાઇ વાટુકીયા ઉ.વ.૬૫ રહે. શેખરડી તા.વાંકાનેર તા.વાંકાનેર જી. મોરબી વાળો શેખરડી ગામ પોતાની વાડીએ પોતાની ખેતીપાકમાં પાણી પાતા હતા ત્યારે વીજ શોક લાગતા સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





