મોરબી: શારીરિક અને માનસિક દુઃખ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી
મોરબી: મોરબીમાં પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પૂજાબેન ઉર્ફે પૂર્વીબેન પ્રકાશભાઇ પરમાર (ઉ.વ.૨૦)રહે. બોખાની વાડી નવલખી રોડ શ્રધ્ધા પાર્ક સામે મોરબીવાળાએ આરોપી પ્રકાશભાઇ વસંતભાઇ પરમા૨ (પતિ), વસંતભાઇ મોતીભાઇ પરમાર (સસરા), હેમલતાબેન વસંતભાઇ પરમાર (સાસુ), સંગીતાબેન જયભાઇ વીડજા (નણંદ)
રહે- ગાયત્રીનગર બાવરાની વાડી વાવડી રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૧-૨૦૨૨ થી ૦૨-૦૯-૨૦૨૩ સુધી ફરીયાદીને આરોપીઓએ ઘરકામ બાબતે તથા નાની નાની બાબતમા શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી ફરીયાદી વિરુધ્ધ ખોટી ચડામણી કરી હેરાન કરતા હોવાથી ભોગ બનનાર પૂજાબેને આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક), ૧૧૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





