મોરબીમાં 25 ડીસેમ્બરે સોનલ બીજ ઉજવાશે
મોરબી: મોરબીમાં ચારણ ગઢવી સમાજ દ્વારા આયોજીત આઇ સોનલમાના ૯૯ માં પ્રાગટ્ય દિવસે “સોનલ બીજ” નું પાવન આયોજન કરવામાં આવ્યું છે. આ મંગળ અવશરે સૌ ચારણોને ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીમાં આઇશ્રી સોનલમાં ચારણ સમાજ વાડી ગૌશાળા પાસે, લીલાપર રોડ – મોરબી ખાતે તા ૨૫-૧૨-૨૦૨૨ ના રોજ સોનલ બીજ ઉજવાશે. જેમાં સવારે ૮:૦૦ કલાકે ખડીયાના નાકેથી સોનલ વાડી સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે. તેમજ સવારે ૧૦:૦૦ કલાકે ચારણ વિધારત્ન સન્માન સમારોહ યોજાશે. અને બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદ રાખેલ છે. તેથી આ સોનલ બીજના પાવન અવસરે આઇ શ્રી સોનલમા જન્મોત્સવ સમિતિ તથા સમસ્ત- ચારણ ગઢવી મોરબી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






