મોરબીમાં ડો.બાબા સાહેબના 67માં મહા પરિનિર્વાણ દિને ધમ્મ યાત્રા યોજાઈ
બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિતે મોરબીમાં આજે અનુ.જાતી મુળ નિવાસી સંઘ દ્વારા મૌન ધમ્મ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનુ.જાતિ સમાજ તથા બહુજન સમાજના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ ધમ્મ યાત્રા મોરબીના નહેરૂ ગેટ ચોક ખાતેથી નીકળી નગરપાલિકા સુધી યોજવામાં આવી હતી. જ્યાં ડો.બાબા સાહેબની પ્રતિમા ખાતે સૌએ બે મિનિટ મૌન પાડી ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. સાથે બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું.





