બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિકલાંગ નિદાન તથા દિવ્યાંગ વ્યક્તિને સાધન સહાય કેમ્પ યોજાયો.
શ્રી બ્રહ્મા સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા આજરોજ એટલે કે તારીખ 15-3-2023 ના રોજ મોરબીના માહોલ બહુચરાજી માતાજીના મંદિર સામે રવાપર ખાતે વિનામૂલ્ય વિકલાંગતા નિદાન તથા દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય કેમ યોજવામાં આવ્યો.

ત્યારે સવારના 10:00 વાગ્યાથી આ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આ કેમ્પમાં અસ્થિર વિષયક દિવ્યાંગ વ્યક્તિઓનું નિદાન કર્યા બાદ જરૂરિયાતવાળા દિવ્યાંગોને ટ્રાઈસિકલ, વ્હીલ ચેર, વોકર,સ્ટીક વગેરે જરૂરી સાધનો વિના મૂલ્ય આપવામાં આવ્યા.





