નાગડાવાસ ગામે વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
નાગડાવાસ ગામે રહેતા વૃદ્ધે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું ત્યારે અંગે પોલીસ દ્વારા મૃત્યુનોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે રહેતા રવાભાઈ અરજણભાઈ બોરીચા ઉ.70 નામના વયોવૃદ્ધે પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





