નવલખી રોડ પર રહેતા મહિલા એસિડ પી જતા મોત નિપજ્યું.
નવલખી રોડ પર રહેતા ૩૦ વર્ષીય મહિલા અગમ્ય કારણોસર પોતાના ઘરે એસિડ પી જતા સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર યમુનાનગરમા રહેતા પુજાબેન મિતુલભાઈ બારોટ (ઉ.વ.૩૦) ગત તા.૦૬-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઈ કારણોસર પોતાના ઘરે એસીડ પી જતા સારવારમાં લાવેલ સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





