નવનિયુક્ત જિલ્લા ટ્રાફિક પીએસઆઇશ્રી વિ.એમ.સોલંકી સાહેબ દ્વારા ખંભાળિયા શહેરમાં થતા ટ્રાફિક પ્રશ્નો અંગે વેપારી આગેવાનો સાથે બેઠક યોજી
અહેવાલ રામ જોગાણી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મે. એસપી શ્રી નિતેશ પાંડેય સાહેબ ની સુચના મુજબ તેમજ ના.પો. અધિક્ષક શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબ ખંભાળિયા વિભાગના સુપરવિઝન હેઠળ ખંભાળિયા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક હોય તેમજ આસપાસના ગામડાઓનું વેપાર કરવાનું મુખ્ય શહેર હોય જેથી ટ્રાફિકના જટીલ પ્રશ્નો રહેતા હોય છે ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ જળવાઈ રહે તે માટે જિલ્લા ટ્રાફિક શાખાના નવનિયુક્ત વુ.પીએસઆઇ શ્રી વી.એમ.સોલંકી સાહેબ દ્વારા વેપારીઓને પડતી મુશ્કેલીઓ જાણી ટ્રાફિક લગત પ્રશ્નો પ્રજાજન તથા પોલીસ સાથે મળી એકબીજાના સહયોગથી નિરાકરણ લેવામાં આવે તે અંગે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે ચર્ચા કરવામાં આવી તેમજ શહેરમાં પેટ્રોલિંગ કરી રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ લારીઓ તથા પાથરણા વાળાઓને તેઓની રોજી રોટી પણ ચાલુ રહે અને ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે રીતે રાખવા સૂચનો કર્યા.





