વાંકાનેર ની આવાસ યોજનામાં રહેતા યુવકનું ઝેરી જનાવર કરડી જતાં મોત.
વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલ આવાસ યોજના કવાટર્સમા રહેતા યુવાન ઘેર ખાટલા ઉપર સુતા હતા ત્યારે ઝેરી જનાવર કરડી જતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે મૃત્યુ નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ આવાસ યોજના કવાટર્સમા રહેતા પ્રવીણભાઈ રામજીભાઈ રાઠોડ નામના યુવાન પોતાના ઘેર ખાટલા ઉપર સુતા હતા ત્યારે ઝેરી જનાવર કરડી જતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





