વાંકાનેરના જાલસિકા ગામે દીવાલ માથે પડતા આધેડનું મોત.
વાંકાનેર નાં જાલસિકા ગામે આધેડ ઘરે હોઈ ત્યારે કોઈ કારણોસર ઘરની દીવાલ ધસી પડતાં આધેડ પર પડતાં આધેડ દીવાલ નીચે દટાય ગયા હોઈ ત્યારે તેમનું મોત નિપજ્યું હતું ત્યારે આ અંગે પોલીસ દ્વારા મૃત્યુનોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે રહેતા નિર્મલભાઈ ભીમાભાઈ લોખીલ ઉ.53 પોતાના ઘેર હતા ત્યારે ઘરની દીવાલ અચાનક ધસી પડતા દીવાલ નીચે દટાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને વાંકાનેર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





