વાંકાનેરના કણકોટ ગામે દાઝી જતાં યુવતીનુ મોત
મોરબી: વાંકાનેર તાલુકાના કણકોટ ગામે કોઈ કારણસર જાતે દાઝી જતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા ૨૬ વર્ષીય કાજલબેન અશોકભાઈ સુથાર ગત તા. ૦૭-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે કોઈ કારણસર જાતે સળગી જતા દાઝી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





