Tuesday, June 23, 2026

મોરબી પાલિકાના કર્મચારીનો સન્માન અને વિદાયમાન સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી પાલિકાના કર્મચારીનો સન્માન અને વિદાયમાન સમારોહ યોજાયો

કલાર્ક તરીકે બઢતી પામેલા સુરેશભાઈ ઉટવાડિયા (પ્રજાપતિ) નો વિદાય સમારોહ તથા બઢતી મેળવેલ વિનુભાઈ ગઢવીનું સન્માન કરાયું

મોરબી : મોરબી નગર પાલિકામાં તાજેતરમાં વર્ગ 4 માંથી વર્ગ 3 માં બઢતી મેળવેલ કર્મચારીનો સન્માન સમારોહ અને વિદાય સમારોહ અત્રેના અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો હતો.

મોરબી નગર પાલિકામાં ફરજ બજાવતા વિનુભાઈ ગઢવીને વર્ગ 4 માંથી 3 માં એટલે કે કલાર્ક તરીકે બઢતી મળતા તેઓનું કર્મચારીઓ દ્વારા સન્માન કરાયુ હતું . આ ઉપરાંત સુરેશભાઈ ચકુભાઈ ઉટવાડિયાને પણ વર્ગ 4 માંથી 3માં બઢતી સાથે વય મર્યાદાના કારણે નિવૃત થતા તેઓની પાલિકાના કર્મચારી યુનિયન અને અધિક કલેકટર, એન.કે. મૂછાર, સહિતના દ્વારા ફૂલ સન્માન કરાયું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ અવાડિયા, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, હેડ કલાર્ક મહાવીરસિંહ જાડેજા સહિતનાઓનું બઢતી આપવા બદલ સાલ ઓઢાડી સન્માન કરાયુ હતું. આ તકે પાલિકાન ચેરમેન ગિરિરાજસિંહ ઝાલા, અમિતભાઇ ગામી, ભગવાનજીભાઈ, સુરેશભાઈ સિરોહિયા, કે.કે. પરમાર, યુનિયનના હોદેદારો પરેશભાઈ અંજારીયા, ભાવેશભાઈ દોશી, સહિતના મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા

Related Articles

Total Website visit

1,609,133

TRENDING NOW