Tuesday, June 23, 2026

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તથા Raghukul એપનુ લોકાર્પણ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ તથા Raghukul એપનુ લોકાર્પણ

મોરબી: મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા તા.૧૧-૦૯-૨૦૨૨ ને રવિવારના રોજ સાંજના ૪:૩૦ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પ્લોટ સ્થળ ખાતે સરસ્વતી સન્માન સમારોહ તેમજ Raghukul મોબાઈલ એપનુ લોકાર્પણ કરવામાં આવશે.

જેમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા Raghukul મોબાઈલ એપ થકી વર્તમાન સમય માટે અનિવાર્ય એવી મોબાઈલ ટેકનોલોજીનો જ્ઞાતિજનોને લાભાર્થે , વિવિધ ધંધા રોજગારમાં અને અન્ય ઘણી બાબતોમાં સદુપયોગ થાય તેવા ઉમદા હેતુથી આ એપનુ નિર્માણ કરવામાં આવ્યું છે.

આ સન્માન સમારોહમાં મહાનુભાવો લોહાણા સમાજના પ્રમુખ ગીરીશભાઈ જસરાજભાઈ ઘેલાણી તથા ડૉ. પરિક્ષિત ગુલાબરાય જોબનપુત્રા અને નિરવ કાંતીલાલ માનસેતા સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તમેજ રઘુવંશી યુવક મંડળ દ્વારા સૌ મિત્રોને આમંત્રણ પાઠવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરેલ તેમજ સમારોહ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદનુ આયોજન કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,609,106

TRENDING NOW