મોરબીના લાલપર ગામ નજીક રેલ્વેના પાટામા આવી જતા યુવાનનુ મોત
મોરબી: મોરબીના લાલપર ગામે ડેલ્ટા સિરામિક સામે આવેલા રેલ્વેના પાટામા આવી યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ બોટાદ જિલ્લાના ગઢડીયાના રહેવાસી અને હાલ મોરબીના લાલપર ગામે મિલેનિયમ પેપરમિલ મજુરની ઓરડીમાં રહેતા જેન્તીભાઇ ગોરધનભાઇ શેખ (ઉ.વ.૩૬) ગત તા.૨૫-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે લાલપર ગામે ડેલ્ટા સિરામિક સામે રેલ્વેના પાટામા કોઈ કારણોસર આવી જતા મોત નિપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





