Wednesday, June 24, 2026

માળીયા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ મકાન વિભાગમાં નવા પુલ બનાવવા માટે રૂપિયા 11.00 કરોડના જોબ નંબર ફાળવાયા.

Advertisement
Advertisement
Advertisement

પ્રેસ નોટ

માળીયા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ મકાન વિભાગમાં નવા પુલ બનાવવા માટે રૂપિયા 11.00 કરોડના જોબ નંબર ફાળવાયા.

મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત માર્ગ અને મકાન વિભાગ દ્વારા માળીયા તાલુકામાં (1) રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢ રોડ નો એક ભાગ (2) રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢ નો બીજો ભાગ (3) ખાખરેચી-વેણાસર રોડ (4) માણાબા-સુલતાનપુર-ચીખલી રોડ (6) એસ.એચ.થી ખીરસરા એપ્રોચ રોડ (7) સ્ટેટ હાઇવે થી નાના દહીસરા એપ્રોચ રોડ તથા મોરબી તાલુકાના રવાપર(નદી) થી સાદુળકા રોડ એમ કુલ 8 રોડના હયાત કોઝવે તથા સાંકળ નાળા પર નવા પુલ બનાવવાની કામગીરી માટે રૂ. 11.00 કરોડના જોબ નંબર ફાળવાયા છે. આ રોડ પર બોક્સ કલવર્ટ અને બોક્સ સેલ બનાવાથી વાહન ચાલકોને ખૂબ અનુકૂળતા રહેશે. મંજૂરીથી સંબંધિત ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાયેલી છે.

Related Articles

Total Website visit

1,609,184

TRENDING NOW