ભાયાભાઈને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે યોગ્ય ધારાઓ સાથે કાર્યવાહી થાય એ માટે ‘આપ’ ના ધારાસભ્ય અને આહીર સમાજના આગેવાન હેમંત ખવા એ ગ્રહમંત્રી અને મુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત કરી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના રહેવાસી ભાયાભાઈ ચવડા સાથે રમેશ પીઠીયા સહિતના આરોપીઓએ અઢી કરોડની છેતરપિંડી આચરી જતી ત્યારે અવર નવાર પૈસાની માંગણી કરવા છતાં રમેશ પીઠીયા એ પૈસા ન આપ્યા હોઈ અને ભાયાભાઈ સાથે છેતરપિંડી આચરી હોઈ ત્યારે તેમને આર્થિક ભીંસમાં આવી પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે એક રીતે જોવા જઈએ તો આ હત્યા જ કહેવાય. હાલ તેમનો પરિવાર અને તેમની પાંચ દીકરીઓ આધાર છીનવાઈ ગયો છે. તો તેમની પાંચે દીકરીઓ અને તેમનો પરિવાર ન્યાય માટે કરગરી રહ્યો છે. ત્યારે આ બાબતે જવાબદાર આરોપીને કડક સજા થઈ તે માટે હેમંત ખવા જામજોધપુર ના ધારાસભ્યએ હર્ષ સંઘવી, ગૃહમંત્રી ગુજરાતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.





