Sunday, June 7, 2026

દીવાળીના દિવસે મોરબી શહેરમાં નવોદય વિદ્યાલયનાં ભુતપૂર્વ વિધાર્થીઓ દ્વારા વૃદ્ધાશ્રમમાં જીવનજરૂરીયાત વસ્તુઓની 135 કિટ વિતરણ કરાઈ

Advertisement
Advertisement
Advertisement

દીવાળીના દિવસે મોરબી શહેરમાં નવોદય વિદ્યાલયનાં ભુતપૂર્વ વિધાર્થીઓ દ્વારા વૃદ્ધાશ્રમમાં જીવનજરૂરીયાત વસ્તુઓની 135 કિટ વિતરણ કરાઈ

મોરબી: દિવાળીના દિવસે મોરબી શહેરમાં જવાહર નવોદય વિદ્યાલયનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા સંચાલિત AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી પ્રોગ્રામ હેઠળ સેવા કાર્યો કરીને દિવાળી ની ઉજવણી કરવામાં આવી, જેમાં 35 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મોરબી શહેર માં કાઠીયાવાડ બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમમાં તેમજ શ્રી મા. બા. વૃદ્ધાશ્રમ માં જીવન જરૂરિયાત વસ્તુઓની 135 કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટ માં સાબુ, બોડી લોશન, કપડાં ધોવાનો સાબુ અને પાઉડર, બામ, વિક્સ, મચ્છર અગરબત્તી ચપલ અને મોજા સાથે ફળો , અનાજ અને ખીચડી સાથે જીવન જરૂરિયાત ની વસ્તુઓ પણ આપવામાં આવ્યા હતા. સાથે વડીલો અને બાળકો સાથે નાસ્તો અને ફટાકડા ફોડી ને દિવસ પસાર કર્યો હતો.

વધુમાં નોંધવું રહ્યું કે AAN FOUNDATION દ્વારા આન દિલસે દિવાળી કાર્યક્રમ અત્યાર સુધી ગુજરાત ના 18 શહેરો માં કરવામાં આવી ચુક્યો છે.

Related Articles

Total Website visit

1,607,788

TRENDING NOW