ક્યુટોન સિરામીકમાં વીજશોક લાગતા શ્રમિકનુ મોત.
મોરબીના વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ ક્યુટોન સિરામીકમાં વીજશોક લાગતા શ્રમકનું મોત નિપજ્યું હતું ત્યારે આ અંગે પોલીસે મૃત્યુ નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક આવેલ ક્યુટોન સિરામિક ફેકટરીમાં કામ કરતા ગૌતમ કાશીરામ લાલાણી ઉ.20 નામના શ્રમિકને ઇલેક્ટ્રીક મોટરમાંથી શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





