હળવદ: કોરોના મહામારીમાં હળવદ તાલુકાના છ શિક્ષક ભાઈ/બહેનોના દુઃખદ અવસાન થયેલ હતા. તેમનાં આત્માનાં કલ્યાણ માટે હળવદ પે.સે. શાળા નં.7 ખાતે ભજન કીર્તન અને ભાવાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
જેમાં મોરબી જિલ્લા પંચાયતનાં પ્રમુખ ચંદુભાઈ સિહોરા, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, હળવદ તાલુકા ભા.જ.પ. પ્રમુખ વાસુદેવભાઈ સિણોજિયા, જીલ્લા સંઘનાં પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા તેમજ હળવદ તાલુકા સંઘનાં પ્રમુખ અને મહામંત્રી તેમજ બહોળી સંખ્યામાં શિક્ષક મિત્રોએ હાજર રહી અવસાન પામેલ શિક્ષક મિત્રોને ભાવાંજલિ અર્પણ કરી, પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.





