Sunday, March 8, 2026

સીજીઆઇએફ ના કલા, સાહિત્ય અને સંસ્કૃતિ ફોરમ આયોજિત ચારણ પરંપરા – કલા, સાહિત્ય અને સંસ્કૃતિ મહોત્સવનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

સીજીઆઇએફ ના કલા, સાહિત્ય અને સંસ્કૃતિ ફોરમ આયોજિત ચારણ પરંપરા – કલા, સાહિત્ય અને સંસ્કૃતિ મહોત્સવનું આયોજન

સીજીઆઇએફ ના કલા, સાહિત્ય અને સંસ્કૃતિ ફોરમ આયોજિત ચારણ પરંપરા – કલા, સાહિત્ય અને સંસ્કૃતિ મહોત્સવ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવેલ છે સપ્ટેમ્બર ૧૯ ૨૦૨૫ ના રોજ.
કાર્યક્રમની રૂપરેખા:
—>ઉદ્ઘાટન સમારોહ ૧૦:૦૦ am થી ૧૨:૦૦ pm
સમારંભના ઉદ્ઘાટક ડૉ. નિરંજન પટેલ (કુલપતિ, એસ.પી યુનિવર્સિટી. વલ્લભ વિદ્યાનગર)
અધ્યક્ષ – શ્રી ઓમકારસિંહ લખાવત (ચેરમેન, રાજસ્થાન ધરોહર વિભાગ, જયપુર)
વક્તવ્ય – ડૉ.નરેશ વેદ (પૂર્વ કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી)
—>પ્રથમ સત્ર બપોરે ૨:૦૦ pm થી ૩:૩૦ pm
વિષય: ચારણસંત પરંપરા અને સદ્દગુરુ બ્રહ્માનંદ સ્વામી -વક્તવ્ય: ડૉ.બળવંત જાની (કુલાધિપતિ,જનાર્દનરાય નાગર યુનિવર્સિટી,ઉદેપુર)
વિષય: ચારણકવિ પરંપરા અને કાનદાસ મેહડૂ
વક્તવ્ય: ડૉ.અંબાદાન રોહડિયા (પૂર્વ અધ્યક્ષ, ગુજરાતી વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
—>દ્વિતીય સત્ર સાંજે ૪:૦૦ pm થી ૫:૩૦ pm
વિષય: ચારણ આઇ પરંપરા અને જેતબાઇ આઇ
વક્તવ્ય: ડૉ.નિર્મળદાન ગઢવી (પ્રિન્સિપાલ અને ચારણી સાહિત્યકાર)
વિષય: ચારણ પરંપરા અને મધ્ય ગુજરાત
વક્તવ્ય: ડૉ.સુરેશ ગઢવી (પ્રોફેસર, આણંદ આર્ટ્સ કૉલેજ)
ખાસ આકર્ષણ
ચારણ ગઢવી સમાજના મહાનુભાવો વિશે હેરિટેજ ગેલેરી
પ્રેરક ઉપસ્થિતિ – સંત વલ્લભ સ્વામી (વડતાલ ધામ)
મુખ્ય મહેમાન – શ્રી રાજુભાઈ હાલાણી (CMD હલાણી ઇન્ડસ્ટ્રીઝ જૂથ)
સમારંભના ઉદ્ઘાટક – ડૉ. નિરંજન પટેલ (કુલપતિ, એસ.પી.યુનિવર્સિટી)
વિશિષ્ટ અતિથિ: ડૉ.બળવંત જાની (કુલાધિપતિ,જનાર્દનરાય નાગર યુનિવર્સિટી,ઉદેપુર)
અતિથિ વિશેષ – શ્રી હરિભાઈ ગઢવી (અધિક કલેકટર, નડિયાદ)
—>ચારણી પરંપરાનો ડાયરો રહેશે રાત્રે ૯ કલાકથી
ડૉ.નિર્મળદાન ગઢવી
શ્રી જિતુ કવિ “દાદ”
શ્રી અનુભા ગઢવી
શ્રી નરેશભાઇ ગઢવી
આ પરિસંવાદમાં આપની ઉપસ્થિતિ અમારા માટે પ્રેરણાદાયીબની રહેશે. ડીજીટલ માધ્યમથી ચારણ સમાજ માટે પ્રચાર પ્રસાર કરે છે તે ચારણ યુવાનો સદ્વિચાર સાથે નિઃસ્વાર્થ સેવા કરે છે તેમના સન્માન કરવામાં આવશે.
આયોજક સમિતિ:
૭૫૭૪૯૯૯૦૦૨/ ૯૭૩૭૫૭૭૫૨૭
શ્રી સ્વામિનારાયણ સભા ઘર વડતાલ ધામ, જીલ્લા ખેડા, ગુજરાત
તારીખ ૨૦/૯/૨૦૨૫ ના રોજ સીજીઆઇએફ મહિલા ફોરમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
જેમાં ગૃહઉદ્યોગ કે બિઝનેસ સાથે સામાજિક સંસ્થાઓ દ્વારા ચારણો બહેનો માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડે છે તેમના પ્રોડક્ટ નું પ્રદર્શન ૧૯ અને ૨૦ તારીખે રહેશે તથા ૨૦/૯/૨૦૨૫ ના એ મહિલાઓ ના સન્માન સાથે પ્રેરક સંદેશ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેની સુચી નીચે મુજબ છે
કાર્યક્રમની સુચી (૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ – વડતાલ ધામ, આણંદ, ગુજરાત)
સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ (સવારે સત્ર)

  • ઉદ્ઘાટન સમારોહ: દીવા પ્રગટાવવી, પ્રાર્થના અને સ્વાગત નૃત્ય
  • સ્વાગત પ્રવચન અને ટીમ પરિચય
  • પ્રવૃત્તિઓનો ઝાંખી
  • પરંપરાગત લોકનૃત્ય
  • CIWA પરિચય: દ્રષ્ટિ, મિશન, ઉદ્દેશ્યો, નેટવર્ક અને લાભો
  • પેનલ ચર્ચા: ‘ચરણ ગઢવી સમુદાયની સમસ્યાઓ અને ઉકેલો’
    બપોરે ૧૨:૩૦ – બપોરે ૦૧:૩૦
  • લંચ બ્રેક
    બપોરે ૦૧:૩૦ – બપોરે ૦૩:૩૦ (બપોરનું સત્ર)
  • વ્યાખ્યાન: ‘મહિલા આરોગ્યસંભાળ’
  • પરંપરાગત પોશાક અને વ્યક્તિત્વ સ્પર્ધા
  • ઘૂમર નૃત્ય પ્રસ્તુતિ
  • ચિરજા ગાયન સ્પર્ધા
    •આભારવિધિ
    સીજીઆઇએફ ટીમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ ટુંક સમયમાં યોજવામાં આવશે.
    મેનેજીંગ ડાયરેક્ટર
    રાજા રુડાચ
    ૧૨/૯/૨૦૨૫.

Related Articles

Total Website visit

1,595,086

TRENDING NOW