Thursday, May 1, 2025

સરદાર બાગ ખાતે યોજાયેલ પુસ્તક પરબ માં વાંચક પ્રેમી તરીકે ઉપસ્થિત રહી પ્રવૃત્તિને બિરદાવતા પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજા

Advertisement
Advertisement
Advertisement

સરદાર બાગ ખાતે યોજાયેલ પુસ્તક પરબ માં વાંચક પ્રેમી તરીકે ઉપસ્થિત રહી પ્રવૃત્તિને બિરદાવતા પૂર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજા

મોરબી ખાતે સરદારબાગમાં પ્રતિમાસના પહેલા રવિવારે યોજાતા પુસ્તક પરબ માં પહેલી સપ્ટેમ્બર અને રવિવારે પૂર્વમંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ ખાસ ઉપસ્થિત રહી આયોજકો અને વાંચન પ્રેમીઓને પ્રેરણા આપી. આ તકે બ્રિજેશ મેરજા એ પુસ્તકોની અદલાબદલી કરવા આવેલ વાચક પ્રેમીઓ સાથે તેમના વાંચન રસ અંગે ગોષ્ઠી કરી હતી. પુસ્તક પરબમાં આવેલ યુવાનો અને કોલેજ કન્યાઓ ને જિંદગીભર વાંચન નો રસ જાળવી રાખવા બ્રિજેશ મેરજા એ વાંચન થી થતા લાભાલાભ ની સવિસ્તાર માહિતીથી વાકેફ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય રહેશે કે બ્રિજેશ મેરજા પણ નિયમિત વાંચન કરે છે તેમના ઘરમાં ચાર હજાર પુસ્તકોની લાઇબ્રેરી પણ તેમણે વસાવેલી છે. મોરબીના આ પુસ્તક પરબની તેમને ત્રીજી મુલાકાત લઈ ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા હતા

Related Articles

Total Website visit

1,502,623

TRENDING NOW