શોભેશ્વર રોડ પર રહેતા યુવાને પત્ની સાથે ફોન પર ઝગડો થતાં જીવન ટુંકાવ્યું.
મોરબીના શોભેશ્વર રોડ ઉપર જૈન દેરાસર પાછળ રહેતા બિહારના વતની યુવાનને પોતાની પત્ની સાથે ફોનમાં બોલાચાલી થયા બાદ લાગી આવતા ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ત્યારે આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર જૈન દેરાસર પાછળ દેવેન્દ્ર રામદેવ શર્માના મકાનમાં રહેતાં અરબિંદ રામબાબુ શર્મા ઉ.22 રહે.ફાજીલપુર કોઆરી, તા.તાજપુર, જિલ્લો સમસ્તીપુર બિહાર નામના યુવાનને પોતાની પત્ની સાથે ફોનમાં બોલાચાલી થયા બાદ લાગી આવતા પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું. બનાવ અંગે સીટી વી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





