Sunday, June 7, 2026

શેરીમાં પડેલ લાકડું હટાવવાનું કહેતા દંપતીએ મહિલાને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

શેરીમાં પડેલ લાકડું હટાવવાનું કહેતા દંપતીએ મહિલાને માર માર્યો.

મોરબીના ઉમિયા નગર પાછળ રહેતા મહિલા એ શેરીમાં પડેલ લાકડા હટાવવાનું કહેતા મહિલા સહિત બે શખ્સોએ તેમને અને તેમના પતિને માર મારતા આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઉમિયાનગર શક્તિ ચેમ્બર પાછળ રહેતા રવીનાબેન લલિતભાઈ રાઠોડ નામના મહિલાએ શેરીમાં પડેલા લાકડા હટાવવાનું કહેતા મહિલા આરોપી અનિતાબેન જેસિંગભાઈ સોલંકી અને તેમના પતિ જેસિંગભાઈ ભીમભાઈ સોલંકીએ ઝઘડો કરી ગાળો આપી પથ્થર મારી રવીનાબેનના પતિને પણ માર મારતા રવીનાબેને દંપતિ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW