વાંકાનેરમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા ત્રણ ઝડપાયા
મોરબી: વાંકાનેર પુલદર વાજા પાસે જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ કરતા ત્રણ ઈસમોને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર પુલદર વાજા પાસે જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ કરતા આરોપી રાહીલભાઇ ઇકબાલભાઇ મુલતાની(ઉ.વ.૨૩)
સાહીલભાઇ ઇકબાલભાઇ મુલતાની (ઉ.વ.-૨૮)
અલાઉદીનભાઇ અલ્તાફભાઇ સમા ( ઉ.વ.-૧૭ રહે બધા વાંકાનેર) ગત તા ૧૯-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે વાંકાનેર પુલદર વાજા પાસે જાહેર જગ્યામાં સુલેહ શાંતીનો ભંગ કરી જાહેરમાં મારામારી અને ગાળાગાળી કરતા મળી આવેલ જેને તપાસતા અલાઉદ્દીનભાઈ ના કબ્જામાથી ગેરકાયદેસર હથીયાર છરી મળી આવતા હથિયાર બંધી જાહેરનામા નો ભંગ કર્યો હતો. આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે આઇપીસી કલમ ૧૬૦ તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





