Sunday, May 4, 2025

વાંકાનેરમાં ગાળો બોલવા બાબતે બબાલ થતા યુવાનને માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના વિશિપરા વિસ્તારમાં ગાળો બોલવાની ના પાડવા બાબતે યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યોની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના વિશિપરા પ્રાથમિક શાળા પાસે રહેતા અર્જુનભાઇ દિનેશભાઇ ગણોદીયાએ આરોપી શંકર હકાભાઇ જીંજવાડીયા તથા સંજય નાગજી જીંજવાડીયા (રહે.બન્ને વાંકાનેર વીશીપ રા) વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈ કાલના રોજ ફરીયાદી અર્જુનભાઇ દિનેશભાઇ ગણોદીયાને આરોપી શંકર હકાભાઇ જીંજવાડીયા સાથે ગાળો બોલવા બાબતે સામાન્ય બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપી શંકર તથા સંજયએ ફરિયાદીને માથામાં ધોકો મારી શરીરે આડેધડ ધોકા વડે માર મારી નાસી છૂટયા હતા. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,735

TRENDING NOW