વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે પાણીમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધ કરાઇ.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે રહેતા વદીયા પીદીયાભાઈ ભાભોર (ઉ.વ.૩૯. મુળ રહે. મધ્યપ્રદેશ) વાળા મચ્છુ નદીમાં પાણીમાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. ત્યારે બાદ તેમની ડેડબોડી સીવીલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.





