વાંકાનેર વિહિપ બજરંગદળ દ્વારા ગુરૂ પૂજન કરી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામા આવી
વાંકાનેર વિહિપ બજરંગદળ દ્વારા ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વે શહેરમાં આવેલ વિવિધ મંદિરોમાં જઈ સંતો મહંતોનું પૂજન કરી સન્માન કરી ગુરૂ વંદના કરી ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે વિહિપના શહેર અધ્યક્ષ ઘનશ્યામસિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ મયુરભાઈ ઠાકોર, બજરંગદળ સહ સંયોજક મેહુલભાઈ ઠાકોર, સહ સંયોજક અનિલભાઈ કુણપરા, રાહુલભાઈ બાવળિયા, જગદીશભાઈ સહિતના હાજર રહ્યા હતા





