વાંકાનેર ખાતે રહેતા આધેડને તેમના ભત્રીજાએ જાન થી મારી નાખવાની ધમકી આપી.
વાંકાનેર શહેરમાં બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા આધેડને તેમના કૌટુંબિક ભત્રીજાએ વોટસએપ માં મેસેજ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ બાબતે હાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા શૈલેષભાઇ ડાયાભાઇ ખાંડેખા ઉ.54ને તેમના કચ્છ રાપર તાલુકાના ખાંડેક ગામે રહેતા રામાભાઈ રાજશીભાઈ ખાંડેખાએ વોટ્સએપ મેસેજ કરી જમીનની જૂની તકરારમાં જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે શૈલેશભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





