મોરબીમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબીમાં દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા પ્લોટમાં ભાડાના મકાનમાં યુવાને ગળાફાંસો ખાઇ લીધો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હાલ રહે મોરબીમાં દલવાડી સર્કલ પાસે પચીસ વારીયા પ્લોટમાં મોહમદભાઈ આદમભાઈ બ્લોચના મકાનમાં ભાડેથી અને મુળ.ગામ સરવડ તા. મોરબી વાળા રાજેશભાઈ ધરમશીભાઈ દેલવાડી (ઉ.વ.૨૧) નામના યુવાને ગત તા.૧૬-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધીને ગળા સાથે વિટોડીને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





