Sunday, March 15, 2026

મોરબીમાં અગીયારમાં માળેથી નીચે પટકાતાં સગીરનુ મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં અગીયારમાં માળેથી નીચે પટકાતાં સગીરનુ મોત

મોરબી: મોરબી -૨ , એલ. ઈ. કોલેજ રોડ ફલોરા પાર્મ્સમા આવેલ બીલ્ડીંગમા અગીયારમા માળે આંટા મારતો હોય ત્યારે ડક વિભાગ પાસે નીચે પાણી હોય જેથી અકસ્માતે પગ લપસી અગીયારમાં માળેથી ડક વિભાગમાં નીચે પહેલા માળે પટકાતા સગીરનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ હીતેષકુમાર અર્જુનસિંહ ચૌહાણ (ઉ.વ.૧૬) રહે. હાલ મોરબી-૨, એલ.ઈ.કોલેજ રોડ.ફલોરા પાર્મ્સ. મુળ. રહે. ચલાલી તા.કાલોલ જી. પંચમહાલ વાળો મોરબી-૨, એલ. ઈ. કોલેજ રોડ,ફલોરા પાર્મ્સ આવેલ બીલ્ડીંગમા અગીયારમા માળે આંટા મારતો હોય ત્યારે ડક વિભાગ પાસે નીચે પાણી હોય જેથી અકસ્માતે પગ લપસી જતા અગીયારમા માળેથી ડક વિભાગમા પહેલા માળે નીચે પડતા માથામા હેમરેજ તથા શરીરે ગંભીર ઈજાઓ થતા ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,435

TRENDING NOW