મોરબીના શક્ત સનાળા ગામે કારખાનામાં ગળેફાંસો ખાય યુવકે જીવન ટૂંકાવ્યું.
મોરબીના શક્ત શનાળા ગામે એક કારખાનામાં મજૂરી કામ કરતા 20 વર્ષે યુવકે અગમ્ય કારણોસર ગળેફાસો ખાય જીવન ટૂંકાવ્યું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા ગામે એસબીએમ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં મજૂરીકામ કરતા ઉત્તરપ્રદેશના વતની પંકુભાઈ પરશુરામભાઈ નિશાદ ઉ.20 નામના યુવાને અગમ્ય કારણોસર કારખાનામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





