મોરબીના થોરાળા ગામે આવેલ ફેકટરીમાં શ્રમિકનું મોત.
મોરબીના થોરાળા ગામ નજીક આવેલ એક ફેકટરીમાં અગમ્ય કારણોસર શ્રમિકનું મોત નિપજતા પોલીસ તપાસ ચલાવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના થોરાળા ગામે આવેલ દેવકુંવર ટેકનોફેબ નામના કારખાનાના લેબર ક્વાટર્સમાં રહેતા બિહાર રાજ્યના વતની આશુકુમાર હરેશ્વર તીવારી ઉ.36નું કોઈ કારણોસર લેબર ક્વાટર્સમાં મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





