મોરબી જિલ્લાના બે શિક્ષકોને “શિક્ષક રત્ન” એવોર્ડ એનાયત
નવદુર્ગા એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દર વર્ષે બાળકોને સમર્પિત શિક્ષકો પસંદ કરીને શિક્ષક રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.
આજે તા.3/9/23 ના રોજ મોરબી જિલ્લામાં એવા બે શિક્ષકો દલસાણિયા વિજયકુમાર મગનલાલ સભારાવાડી પ્રાથમિક શાળા અને ગોધવિયા ગૌતમભાઈ રામજીભાઈ બીલીયા પ્રાથમિક શાળાના બંને શિક્ષકોને આ એવોર્ડથી સન્માનિત કરતા મોરબી જિલ્લાની સાથે શાળાના ગૌરવમાં પણ અભિવૃદ્ધિ કરી છે.આ બંને શિક્ષકો બાળકોને માટે હમેશાં નવીનતમ પ્રવૃત્તિઓ કરતા રહ્યાં છે.આવા શિક્ષકો એ ગૌરવ સમાન છે. આ તકે બંને શિક્ષકોએ નવદુર્ગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.





