મોરબી જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેને અટકેલા કામો શરૂ કરવા અધિકારીને આપી સુચના

મોરબી જીલ્લાના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાએ અટકેલા કામોને પુન: શરૂ કરવા અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
જેમાં મેઘપર, દેરાળા રોડ માટે માળિયા તાલુકાના સરપંચો, માળીયા તાલુકાના પ્રમુખ મણિલાલ સરડવા, જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ તેમજ અન્ય આગેવાનો સાથે રહીને ડીડીઓને રજૂઆત કરી હતી. જેથી અટકેલા કામોને પુન: શરૂ કરવા અધિકારીઓ સાથે અજયભાઇ લોરીયાએ બેઠક કરી અધિકારીઓને સુચના આપી હતી.






