માળિયા (મી) ના મોટા ભેલા ગામે 14 વર્ષની બાળકી પર નરાધમે આચાર્ય દુષ્કર્મ
મોરબી: માળિયા (મી) તાલુકાના મોટા ભેલા ગામે ૧૪ વર્ષની માસૂમ બાળકી ઉપર ૪૦ વર્ષના પ્રૌઢ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ માળીયા(મી)ના મોટાભેલા ગામે ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની સગીર વયની બાળકીને ખેતરના માલિક ભરત નારણભાઈ સુરાણી (ઉ.વ.૪૦) નામના હવસખોરે બાળકીને શિકાર બનાવી છે અને આરોપી દ્વારા આ શ્રમિક પરિવારને બીજાના ખેતરેથી થોડા દિવસો પહેલાજ પોતાના ખેતર એ લઈ આવ્યો હતો અને બાદમાં ગઈકાલે સાંજે એકલતાનો લાભ લઈને આ કૃત્યને અંજામ આપ્યો હતો. આ બનાવ બાદ બાળકીને ગંભીર હાલતમાં માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ માળીયા(મી) પોલીસની ટીમ દ્વારા પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.





