માટેલ થી ચોટીલા તરફ જતા આધેડને કારમાં એટેક આવતા મોત.
વાંકાનેર તાલુકા ના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલ થી કારમાં ચોટીલા તરફ જતા આધેડને કેરાળા ગામના પાટિયા નજીક હાર્ટ એટેક આવતા તેમનું મોત નિપજ્યું હતું ત્યારે આ અંગે હાલ પોલીસ દ્વારા મૃત્યુ નોંધ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલથી કારમાં ચોટીલા તરફ જતા બનાસકાંઠા જિલ્લાના ભાભોરના વતની રાજેશભાઇ ધીરજલાલ ઠક્કર ઉ.56ને કેરાળા ગામના બોર્ડ પાસે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





