ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે વોંકળામાં ડુબી જતાં બાળકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે રહેતા દિપક ખેલુભાઈ અજનાર (ઉ.વ.૮) જગદીશભાઈ લાલજીભાઈની વાડીની પાછળ વોંકળામાં કોઈ કારણોસર પાણીમાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. જેની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે ટંકારા સીવીલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. આ બનાવ અંગે અકસ્માતે મોત દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.





