મોરબી તાલુકાના નારણકા ગામમાં આગામી તા.19/11/21ના રોજ ઐતિહાસિક નાટક અને કોમિક ભજવવામાં આવશે.
નારણકા ગામે રામજી મંદિર ચોકમાં બજરંગ યુવક મંડળ દ્વારા આગામી તા.19 ને દેવ દિવાળીના રોજ રાત્રે 10 કલાકે મહાન ઐતિહાસિક નાટક હિન્દનો છેલ્લો સમ્રાટ યાને પૃથ્વીરાજ ચૌહાણ તથા હાસ્યથી ભરપુર શેઠની સાહુકારી કોમિક ભજવવામાં આવશે. તેથી આસપાસના લોકોને આ નાટકનો લાભ લેવા બજરંગ યુવક મંડળ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.