શ્રી નવોદય વિદ્યાલય- ઘુટું ખાતે આજરોજ તારીખ 13/01/ 2024 ને શનિવારના રોજ સવારે 9:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી અયોધ્યા થી આવેલ અક્ષત કળશ નું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ શાળાએથી શરૂ કરી આખા ગામમાં ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળાના સૌ વિદ્યાર્થીઓ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ , બહોડી સંખ્યામાં વાલીશ્રીઓ તથા ગ્રામજનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય કિરીટભાઈ સાણજા, મહેશભાઇ બોપલિયા, પ્રમુખશ્રી બીપીનભાઈ કાંજીયા, ટ્રસ્ટી શ્રી પરસોતમભાઈ કૈલા તથા સર્વેસ્ટાફ મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
















