Monday, March 9, 2026

જુની રાતીદેવરી ગામે ઉછીના પૈસા આપવાની ના પાડતાં યુવકને ચાર શખ્સોએ માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

જુની રાતીદેવરી ગામે ઉછીના પૈસા આપવાની ના પાડતાં યુવકને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: વાંકાનેર તાલુકાના જુની રાતીદેવરી ગામે પીઠડ માતાજીના મંદિર પાસે ચાર રસ્તા નજીક ઉછીના પૈસા આપવાની ના પાડતાં યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જુની રાતીદેવરી ગામે રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે નનુ હેમરાજભાઇ વોરા (ઉ.વ ૨૪) એ આરોપી જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ મોતીભાઇ ગુગડીયા, દીવ્યેશ ઉર્ફે ભોલો જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ, મીતુલ જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ, યોગેશભાઇ નવીનભાઇ વોરા રહે બધા રાતીદેવરી તા. વાંકાનેર વાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત ૧૧-૦૯-૨૦૨૨ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે જુની રાતીદેવરી ગામે પીઠડ માતાજીના મંદિર પાસે ચાર રસ્તા નજીક ફરીયાદી પાસે આરોપી જેઠાભાઈએ રૂ.૫૦ ઉછીના માંગતા જે ફરીયાદીએ ના પાડતાં આરોપીઓએ કુવાડીનો હાથો તથા લોખંડના પાઈપ તથા (ડાક) તથા છુટા પથ્થરોથી ફરીયાદીને ડાબા હાથે તથા શરીરે મારામારી ફેક્ચર થયેલ છે.તેમજ સાહેદ લાલજીભાઇને જમણા હાથે ફેક્ચર જેવી ઈજા કરી તેમજ સાહેદોને ડાક પથ્થર, પાઈપ, વડે મારામારી કરી સામાન્ય ઈજાઓ કરી હતી. આ બનાવ અંગે નરેન્દ્રભાઇએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,188

TRENDING NOW