જન્માષ્ટમી નિમિત્તે જૂના ઘાટીલા ગ્રુપ દ્વારા જુના ઘાટીલા ગામે શોભાયાત્રા નું આયોજન.
આગામી ૭ સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મદિવસ તો આ પવિત્ર દિવસે જૂના ઘાટીલા યુવા ગ્રૂપ દ્વારા જૂના ઘાટીલા ગામે ભવ્ય શોભાયાત્રા અને મટકીફોડ નું બેન્ડ વાજા સાથે આયોજન કરવામાં આવ્યું છે
જૂના ઘાટીલા યુવા ગ્રુપ દ્વારા આયોજીત શોભાયાત્રા બપોરે ૨:૦૦ વાગે નીકળશે અને સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ગામના માર્ગો પરથી પસાર થશે. આ શોભાયત્રા માં અનેક જગ્યા એ મટકીફોડ કરવામાં આવશે . રાસ ગરબા નું પણ આયોજન કરવામાં આવ્યું છે.વાજતે ગાજતે શોભાયત્ર નું સમાપન કરવામાં આવશે.જૂના ઘાટીલા ગામ ના તમામ ધર્મ પ્રેમી જનતા ને જૂના ઘાટીલા યુવા ગ્રુપ દ્વારા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું છે.





