Tuesday, March 17, 2026

આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ ૨૨નુ આયોજન કરાયું

Advertisement
Advertisement
Advertisement

“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ ૨૨નુ આયોજન કરાયું

મોરબી: તા.૭ ઓક્ટોબરે રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ ‘૨૨ (નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ‘૨૨ ) “દુનિયા એક રંગમંચ છે. કલાકાર બનતાં નથી, જન્મે છે.” નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

“ગુજકોસ્ટ ગાંધીનગર ” પ્રેરિત “આર્યભટ્ટ ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી આયોજીત “રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ-૨૨ ( નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ-૨૨) કે જેમાં મુખ્ય વિષય “માનવ જાતનાં લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” પેટા વિષય:-(૧) રસી ની વાર્તા (૨) રોગચાળો,સામાજીક અને વૈજ્ઞાનિક મુદ્દાઓ (૩) જીવનની ગુણવત્તા સુધારવા માટે ટેકનોલોજી ઈનોવેશન (૪) મૂળભૂત વિજ્ઞાન અને સતત્ વિકાસ- વિષય ઉપર નાટ્ય મહોત્સવનું આયોજન કરેલ જેમાં મોરબી જીલ્લાની વિવિધ સ્કૂલોએ ભાગ લીધો હતો .

આ નાટ્ય મહોત્સવમાં શ્રી નવ જ્યોત & સરદાર પટેલ વિદ્યાલય ટંકારાની ટીમો જીલ્લાકક્ષાએ વિજેતા થયા છે તેઓની વિજેતા ટીમ હવે રાજ્યકક્ષાએ ભાગ લેવા ગાંધીનગર જશે. તેમજ જીલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ બધી જ સ્કૂલનાં આચાર્ય સંચાલક, શિક્ષકમિત્રો તથા વિધાર્થીઓને ખુબ ખુબ અભિનંદન.

Related Articles

Total Website visit

1,597,945

TRENDING NOW