આયુષ્માન ભવઃ હેલ્થ મેળા નું આયોજન કરાયું
આયુષ્માન ભવઃ હેલ્થ મેળા નું આયોજન
આજરોજ ખાખરેચી આરોગ્ય કેન્દ્ર તથા તેના તાબા હેઠળ ના વિવિધ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરો માં આયુષ્યમાન ભવઃ હેલ્થ મેળા નું આયોજન કરવામાં આવેલ હતું. સરકારશ્રી આયુષ્યમાન ભવઃ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી. જાડેજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે ની સૂચના અનુસાર પ્રા.આ.કે. ખાખરેચી તથા દરેક હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર જેવા કે, ખાખરેચી-1, ખાખરેચી-2, જુના ઘાંટીલા, વેણાસર, વાધરવામાં હેલ્થ મેળા નું આયોજન કરવા માં આવેલ હતું. જેમાં લાભાર્થીઓ ના પી.એમ.જે.વાય કાર્ડ, આભા કાર્ડ, ડાયાબિટીસ, બી.પી. માપવા નો કેમ્પ જેવી વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ આપવા માં આવેલ હતી








