આગામી દિવસો માં ગુજરાત માં પધારતા ધીરેન્દ્ર શાસ્ત્રી જી નો વિરોધીઓ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને વખોડી કાઢતાં હળવદ ના યુવા નેતા તપન દવે
ભારત ભર માં સનાતન અને ભારતીય સંસ્કૃતિ નો પ્રચાર પ્રસાર કરી કરોડો દેશ વાસિયો ના હૃદય માં નાની ઉંમરે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા શ્રી બાગેશ્વર ધામ ના પીઠાધિશ્વર પૂજ્ય શ્રી ધીરેન શાસ્ત્રી જી મહારાજ આગામી દિવસો માં ગુજરાત માં ત્રણ મહાનગરો માં પવન પુત્ર શ્રી હનુમાનજી મહારાજ ની આરાધના કરવાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ નું આયોજન કરેલ છે જેનો અમુક શખ્સો દ્વારા એનકેન પ્રકારે કઈ પણ જાણ્યા સમજ્યા વગર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હળવદ ના યુવા નેતા તપન દવે દ્વારા વિરોધીઓ ના વિરોધ ને વખોડી નાખ્યો છે અને વધુ માં તેઓ જણાવે છે કે પૂજ્ય શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી જી દ્વારા ભવ્યાતિભવ્ય કેન્સર હોસ્પિટલ નિર્માણ પામશે જેમાં હજારો દર્દી નારાયણ ને નિશુલ્ક સારવાર મળી રહેશે તેમજ દર વર્ષે વિધવા અને ગરીબ જરૂરિયાત મંદ પરિવારો ની દીકરીઓ ના ધામ ધૂમ પૂર્વક સમૂહ લગ્ન નું પણ આયોજન કરી રહ્યા છે તેવા અનેક વિધ સેવાકીય કર્યો પૂજ્ય મહારાજ જી અને સેવક ગણ દ્વારા થઈ રહ્યા છે ત્યારે આટલી નાની ઉંમર માં સનાતન હિન્દુ સંસ્કૃતિ ના સંરક્ષક તરીકે ખૂબ મોટી નામના પ્રાપ્ત કરી દેશ ના કરોડો લોકો ના હૃદય માં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે ત્યારે તેઓના ગુજરાત પ્રવાસ થી સમગ્ર રાજ્ય ધર્મ ભક્તિ ના રંગે રંગાઈ જસે અને હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે તેવો આશાવાદ હળવદ ના યુવા નેતા તપન દવે દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે






