Sunday, March 8, 2026

ટંકારાના છતર ગામે બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના છતર ગામે રહેતા યુવાને નવાગામના તળમાં બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી આ મામલે ટંકારા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા જીણાભાઈ સામજીભાઈ પરમાર (ઉં.વ.18) નામના યુવાને છતર નવાગામ તળમાં બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW