મોરબી : મોરબીના કેશવાનંદ બાપુના આશ્રમની સામે મચ્છુ નદીમાં ડૂબી જતાં મોરબીના વીસીપરામાં રહેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરામાં આવેલ રોહિદાસપરા શેરી નંબર-6 માં રહેતા મહેશભાઈ જદુરામભાઈ શુકલ (ઉં.વ. 40) નામના યુવાન કેશવાનંદ બાપુના આશ્રમની સામે મચ્છુ નદીમાં ડૂબી જતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.