મોરબી : મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ઘડીયા લગ્ન કરવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં આજે કાંતિલાલ અમૃતિયાના નિવાસસ્થાને પાટીદાર સમાજના ઘડીયા લગ્ન યોજાયા હતા.
આ લગ્નમાં ચિ. નિશાબેન નાગજીભાઈ ભીમાણીના લગ્ન ચિ. વિપુલભાઈ વીરજીભાઈ અઘારા સાથે યોજાયા હતા જેમાં મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ટંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાણજીભાઈ વરસડા તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા વલ્લભભાઈ અધારા ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નમો ઘડિયાળ આપી નવયુગલોને આશિર્વાદ આપ્યા હતા.