કચ્છ ભચાઉના વાંઢીયા ગામમાં આજે ચૈત્ર વદ છઠને તા. ૨૨/૦૪/૨૦૨૨ ના રોજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કથાના પાવન પ્રસંગોની વાત કરીયે તો આજે સવારે ૯ વાગે પોથીયાત્રા પટેલના રામ મંદીરથી નીકળી હતી અને કથાસ્થળ માજી ઉપસંરપચ રાજેશભાઈ માદેવા દેવડાના ધરે શાસ્ત્રોતક પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. આ કથાના વ્યાસપીઠે વક્તા વિષ્ણુબાપુ દાણીધારીયા કથાનું રસપાન કરાવી રહ્યા છે.
ભાગવત કથા સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોર ૩:૩૦ થી ૬:૩૦ સુધી ચાલશે. આ ભાગવત કથાની શુભ શરુઆત નાની બાળાઓ દ્વારા દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી અને સમસ્ત દેવડા પરીવાર દ્વારા આયોજીત આ કથામાં ભક્તજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને કથામાં આયોજક અંબાલાલભાઇ સવજીભાઇ દેવડા, ગાંગજીભાઇ ભચુભાઇ દેવડા, દેવજીભાઇ ભચુભાઇ દેવડા, મુરજીભાઈ માદેવાભાઈ દેવડા, કૌશિક કાનજી દેવડા સહિતના હાજર રહ્યા હતા.

