Tuesday, March 10, 2026

મોરબીમાં કાલે શનિવારે સંત વેલનાથ બાપુની શોભાયાત્રા નીકળશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી : સમસ્ત મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સંત વેલનાથબાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે શોભાયાત્રા શનિવારે તા. ૧૬ ના રોજ સવારે ૮ કલાકે જડેશ્વર મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે જે શોભાયાત્રા જડેશ્વર મંદિરથી સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, બજાર લાઈન, નહેરુ ગેઇટ, તખ્તસિંહજી રોડ, ગેસ્ટ હાઉસ રોડ અને પુલ પરથી સામાકાંઠે અને સો ઓરડી સહિતના વિસ્તારોમાં ફરીને સો ઓરડીમાં આવેલ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની બોડીંગ ખાતે પૂર્ણ થશે.

શોભાયાત્રા બાદ સંબોધન અને બાદમાં મહાપ્રસાદ યોજાશે જે શોભાયાત્રામાં કોળી ઠાકોર સમાજના ભાઈઓ-બહેનોએ જોડાવવા માટે મોરબી જીલ્લા કોળી ઠાકોર સમાજ પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા અને જય વેલનાથ જન્મ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,595,243

TRENDING NOW