મોરબી શહેરમાં અબોલ પશુઓ પ્રત્યે કરુણા દાખવી ચાર વર્ષથી કાર્યરત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્ષની દુકાન નંબર 4 માં રાહતદરે કર્તવ્ય પેટ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો છે.
મોરબીના જીવદયાપ્રેમીઓને પોતાના પશુ-પક્ષીઓને એકદમ રાહતદરે સારવાર આપવામાં આવશે. કર્તવ્ય પેટ ક્લિનિકમાં કોઈપણ બિમાર પ્રાણીઓની સારવાર નહીં નફા, નહીં નુકશાનના ધોરણે પુરી પાડવામાં આવશે. ક્લિનિક થકી પશુઓના ચોક્કસ નિદાન માટે લેબોરેટરીમાં પણ 50 % નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેમજ વેક્સીનેસન તથા દવાઓમાં 15 થી 20 % સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
કર્તવ્ય પેટ ક્લિનિકમાં બિનવારસી અને માલિક વગરના પશુ-પક્ષીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. પશુ-પક્ષીઓની રાહતદરે સારવાર માટે લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યોએ અનુરોધ કર્યો છે તેમજ વધુ માહિતી માટે મો.નં. 7574885747 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.







